Tuesday, 23 March 2021

વાંકાનેર ખાતે બહુજન સમાજ,વાંકાનેર અનુસુચીત જાતી સમાજ, જય ભીમ યુવા ગ્રુપ તથા ભારતીય વિધાર્થી મોર્ચા દ્વારા પોલીસદળની ભરતીમાં અનામત બેઠક અંગે અન્યાય અંગે મામલતદારને આવેદનપત્ર અપાયું

 વાંકાનેર ખાતે બહુજન સમાજ,વાંકાનેર અનુસુચીત જાતી સમાજ, જય ભીમ યુવા ગ્રુપ તથા ભારતીય વિધાર્થી મોર્ચા દ્વારા પોલીસદળ ની સીધી ભરતીમાં ST SC OBC અનામત બેઠક અંગે અન્યાય સામે મામલતદારને આવેદનપત્ર અપાયું




તાજેતર PSI / ASI ની ગુજરાત પોલીસ ખાતામાં ભરતી આવી છે જેમાં અનુસૂચિત જાતિની મળવાપાત્ર અનામત કોટા સીટમાં સરકાર દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે. જેમાં અનુસૂચિત જાતિને બંધારણના કાયદા પ્રમાણે 7% અનામત સીટ મળવી જોઈએ જે સરકાર દ્વારા આપવામાં આવી નથી. આ આવેદનપત્ર સરકાર સુધી પહોંચે અને અનુ. જાતિ સાથે જે અન્યાય થયો છે તેનો યોગ્ય ન્યાય મળે તે મુજબ ભરતી પ્રક્રિયા ફરીથી કરવા માટે તેમના વિરૂધ્ધમાં વાંકાનેર મામલતદાર સાહેબશ્રીને બહુજન સમાજ,વાંકાનેર અનુસુચીત જાતી સમાજ, જય ભીમ યુવા ગ્રુપ તથા ભારતીય વિધાર્થી મોર્ચા દ્વારા આજ રોજ પ્રાંત અધિકારીશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

 આ તકે સમાજના વરિષ્ઠ આગેવાનો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

No comments:

Post a Comment