Sunday, 21 March 2021

વાંકાનેરના ઘણા વિસ્તારોમાં ડોહળું અને દૂષિત પાણી વિતરણ થતાં રોગચાળો ફાટી નીકળવાની દેહાશત...

 વાંકાનેરના ઘણા વિસ્તારોમાં ડોહળું અને દૂષિત પાણી વિતરણ થતાં રોગચાળો ફાટી નીકળવાની દેહાશત...


તંત્ર દ્વારા દૂષિત અને ડોહળું પાણી વિતરણ થતાં સ્થાનિકોમાં રોષ...

વાંકાનેરના ઘણા વિસ્તારોમાં જેમ કે, આંબેડકર નગર, ભરવાડપરા, કુંભારપરા, દીવાનપરા,આરોગ્યનગર સહિત અનેક  વિસ્તારોમાં તંત્ર દ્વારા ડોહળું પાણી  વિતરણ થતાં સ્થાનિક રહીશોમાં અને  ગૃહિણીઓમાં ભારે રોષ ની લાગણી વ્યાપી રહી છે. તંત્ર દ્વારા વિતરણ કરવાંમાં આવતું પાણી એકદમ પીળું પડતું પાણી અને દૂષિત હોઈ તેવું પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ની લાગણી વર્તાય રહી છે. ડોહળું અને દૂષિત પાણી આવતા લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થાય તે પેહલા તંત્ર દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ થાય અને પીવા લાયક શુદ્ધ પાણી મળી રહે તેવી લોક માંગ ઉઠવા પામી છે..

No comments:

Post a Comment