આગામી ૧૦મી તારીખે શ્રી ફળેશ્ચર મહાદેવ જગ્યા ના બ્રહ્મલીન મંહત શ્રી રામકિશોરદાસ બાપુ ની ૧૩ની પુણ્યતિથિ કોરોના સાદગીને કારણે પૂર્વક ઉજવશે..
કોરોના મહામારી ને કારણે મહાપ્રસાદ મોકૂફ
વાંકાનેર : વાંકાનેર મૌનીબાબા ની જગ્યા એટલે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર. આ જગ્યાના બ્રહ્મલીન મહંત રામકિશોરદાસ બાપુ પુણ્ય તિથિ છેલ્લા ૧૨ વર્ષથી ધામધૂમ અને ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉજ્જવામાં આવે છે. આ વર્ષે તા. ૧૦/૩ ને બુધવારનાં રોજ બાપુની ૧૩મી વાર્ષિક પુણ્યતિથિ કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી સાદગી પૂર્ણ ઉજવણી કરવાનું શ્રી ફલેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
તા.૧૦નાં રોજ સવારે ૮-૦૦ કલાકે સદગુરુદેવ રામકિશોરદાસ બાપુની પૂર્ણ પ્રતિમાનું શાસ્ત્રોકત વિધિથી પૂજન કરવામાં આવશે. આ વર્ષે કોરોના મહામારી ને કારણે મહાપ્રસાદનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે જેની તમામ ભાવિકો અને ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવા ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા યાદી માં જણાવ્યું છે...
No comments:
Post a Comment