Saturday, 6 March 2021

વાંકાનેર શ્રી ફળેશ્ચર મહાદેવ જગ્યા ના બ્રહ્મલીન મંહત શ્રી રામકિશોરદાસ બાપુ ની ૧૩ની પુણ્યતિથિ સાદગી પૂર્વક ઉજવશે..

 આગામી ૧૦મી તારીખે શ્રી ફળેશ્ચર મહાદેવ જગ્યા ના બ્રહ્મલીન મંહત શ્રી રામકિશોરદાસ બાપુ ની ૧૩ની પુણ્યતિથિ કોરોના સાદગીને કારણે  પૂર્વક ઉજવશે..

કોરોના મહામારી ને કારણે મહાપ્રસાદ મોકૂફ

વાંકાનેર : વાંકાનેર મૌનીબાબા ની જગ્યા એટલે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર. આ જગ્યાના બ્રહ્મલીન મહંત રામકિશોરદાસ બાપુ પુણ્ય તિથિ છેલ્લા ૧૨  વર્ષથી ધામધૂમ અને  ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉજ્જવામાં આવે છે. આ વર્ષે તા. ૧૦/૩ ને બુધવારનાં રોજ બાપુની ૧૩મી વાર્ષિક પુણ્યતિથિ કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી સાદગી પૂર્ણ ઉજવણી કરવાનું શ્રી ફલેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
  તા.૧૦નાં રોજ સવારે ૮-૦૦ કલાકે સદગુરુદેવ  રામકિશોરદાસ બાપુની પૂર્ણ પ્રતિમાનું શાસ્ત્રોકત વિધિથી પૂજન કરવામાં આવશે.  આ વર્ષે કોરોના મહામારી ને કારણે મહાપ્રસાદનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે જેની તમામ ભાવિકો અને ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવા ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા યાદી માં જણાવ્યું છે...



No comments:

Post a Comment