દાંડીયાત્રા
વાંકાનેરની શ્રી કે કે શાહ વિદ્યાલય દ્વારા ૧૨માર્ચનાં રોજ દાંડીકૂચ નો કાર્યક્રમ યોજાયો..
આગામી વર્ષ દેશ આઝાદીનો હિરક મહોત્સવ ઉજવવા જઈ રહ્યું છે , ત્યારે સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકામાં રહેલ તે સાબરમતી આશ્રમ – અમદાવાદથી પૂજનીય ગાંધીજીના નેતૃત્વમાં નીકળેલ દાંડી યાત્રા હતી .
આજે વાંકાનેરની શ્રી કે કે શાહ વિદ્યાલય દ્વારા ૧૨માર્ચનાં રોજ દાંડીકૂચ નો કાર્યક્રમ યોજાયો હતો. આ દાંડીકૂચમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીજી ,સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ તેમજ ઘણા બધા વિદ્યાર્થીઓએ અલગ અલગ પાત્રો ભજવ્યા હતા. કાર્યક્રમ નું શરૂઆતમાં સૌપ્રથમ રામધુન ત્યાર બાદ ગાંધીજીએ દાંડીકૂચ વિશે સમજાવ્યું હતું અને ત્યાર પછી દાંડીકૂચ વાંકાનેર નગરમાં નીકળી હતી ત્યાર પછી આઝાદી કૂચમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક હટાવો ધરતી બચાવો ધ્યાનમાં રાખી મુખ્ય રસ્તા ઉપર પ્લાસ્ટિક ભેગું કર્યું હતું તેમજ સ્વદેશી વાપરો દેશ બચાવો વગેરે જેવા સુત્રો બોલ્યા હતા છેલ્લે વિદ્યાર્થી સંકલ્પ કર્યો હતો કે પોતે ખાદી અપનાવશે, પોતાના ઘરની આજુબાજુમાં સ્વચ્છતા જાળવશે તેમજ સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખશે ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જેમાં વરસાદ પડે ત્યારે ઘરે વૃક્ષારોપણ કરવું પાણી બચાવવું પાણીને જમીનમાં ઉતારવુ માસ્ક બાંધવુ,ફાસ્ટફૂડ ખાવાનું બંધ કરવું, ફરજોનું પાલન કરવું,પશુ પક્ષીઓ પ્રત્યે અનુકંપા રાખવી વગેરે જેવા સંકલ્પો કર્યા હતા અને અંતે શાળાના મેદાનમાં દાંડીકૂચનો અંત આવ્યો હતો .
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા ના વિદ્યાર્થીઓ તેમજ આચાર્ય જયંતીભાઈ પડસુબિયા,ભુપતભાઈ છૈયા,વિશ્વેશ ભાઈ પંડ્યા અને સ્ટાફ ગણ એ ભારે જહેમત ઉઠાવી હતી.
No comments:
Post a Comment