વાંકાનેરમાં ૐકારેશ્ચર મહાદેવ મંદિરે ખાતે આજ રોજ શિવરાત્રી પર્વ નિમિત્તે મહાદેવજી ને નવનિર્મિત પંચધાતુ (જર્મન સિલ્વર ટચ) નું થાળુ અને શિવજી નું મોહરું અર્પણ કરવામાં આવ્યું..
વાંકાનેર દિગ્વિજય નગર (પેડક) વિસ્તારમાં અને વાંકાનેર થી મોટા જડેશ્વર મહાદેવ જતા રસ્તામાં આવતા શ્રી ૐકારેશ્વર મહાદેવ મંદિરે ખાતે આજ રોજ અંદાજે રૂ.૫૦,૦૦૦/- (પંચાશ હાજર) કિંમતનું અને આશરે ૧૦ કિગ્રા થી વધુ વજન ધરાવતું પંચધાતુ (જર્મન સિલ્વર ટચ) નું થાળુ અને શિવજીનું મોહરુ મઢવામાં આવ્યું.
શિવરાત્રી નિમિત્તે આજ શુગંધિત અને ભાત ભાત ના ફૂલોથી ભવ્ય શણગાર સાથે ભવ્ય દીપ આરતી યોજાશે.
ૐ કારેશ્વર મંદિર ના પટાંગણમાં હનુમાનજી તથા શનિદેવ નું મંદિર આવેલું છે આ મંદિરના સંચાલકો અને વિસ્તારના લોકો દર અમાસે ૨૫૦ થી વધુ બાળકોને બટુક ભોજન કરાવે છે અને દર અગિયારસે ધૂન નું પણ આયોજન કરે છે તદુપરાંત દરરોજ પક્ષીને ચણ પણ નાંખવામાં આવે છે.
સમય મળ્યે આ જગ્યા ની અવશ્ય મુલાકાત લેજો...
No comments:
Post a Comment