Friday, 26 February 2021

વાંકાનેર સિંધાવદર ગામના માલધારી સમાજના મતદારો ભાજપની સાથે

 વાંકાનેર સિંધાવદર ગામના માલધારી સમાજના મતદારો ભાજપની સાથે



માલધારી સમાજના આગેવાનોએ ભારે મતદાન કરી કમલ ખીલાવી દેવાની ખાતરી આપી

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી નજીક છે અને પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં પુરજોશમાં ચાલતું હોય ત્યારે આજ રોજ સિંધાવદર ખાતે માલધારી સમાજ ની જગ્યા શ્રી અણદાબાપાની જગ્યાએ ભાજપના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.



આ મિટિંગમાં વાંકાનેરના યુવરાજ અને જેમના નેતૃત્વમાં વાંકાનેર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડાઈ રહી છે તેવા કેસરીદેવસિંહજી ઝાલા, પૂર્વ સંસદ દેવજીભાઈ ફતેહપરા સાથે માલધારી જીતુભાઈ કાટોળિયા રાજકોટ કોર્પોરેટર, માલધારી કવાભાઈ ગોલતર,ગોવિંદભાઈ દેસાઈ, રાજાવડલા તથા તિથવા સીટ નાં ઉમેદવાર, અમરશીભાઈ મઢવી,સ્થાનિક યુસુફભાઈ મિરાઝી, ક્રિપાલસિંહ ઝાલા, મેહુલ ઠાકરાની, તથા માલધારી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને આ તકે સમાજના આગેવાનોએ ભાજપ તરફી વધુ મતદાન થાય તેવી ખાતરી આપી હતી. મીટીંગ બાદ સર્વે આમંત્રિત મહેમાનોએ દેશી જમણ ની મોજ માણી હતી.


  આ મીટીંગ નું આયોજન માલધારી સમાજના પ્રમુખ અને વાંકાનેર તાલુકા મહામંત્રી હીરાભાઈ બાંભવાં અને તેમની ટીમે એ કરી હતી.


તસવીર /અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર 7984295743

No comments:

Post a Comment