વાંકાનેર. તા. 22/02/2021 ના રોજ ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે આવેલ શ્રી વેદમાતા ગાયત્રી પ્રાથમિક શાળા કોરોના મહામારી બાદ ફરીથી ધોરણ 6 , 7 અને 8 ના વિદ્યાર્થીઓ માટે સરકારશ્રીના આદેશ અનુસાર શરૂ કરવામાં આવી.
આ તકે ખાસ માસ્ક, સનિટાઈઝર સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવ્યું..
વિદ્યાર્થીઓના વાલીઓ પાસે થી મંજૂરીપત્ર લઇ તેમની પાસે લેખિતમાં રૂબરૂ સન્મતિ લઇ ને બાળકો ને બોલાવવામાં આવ્યા હતા.
આ તકે ગાયત્રી પરિવાર ના અશ્વિનભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દરેક બાળકો ને તિલક કરી મીઠું મોઢું કરાવી પ્રવેશ કરવ્યો હતો.
આમ આજ થી રેગ્યુલર સોશિયલ ડિસ્ટન્સ નું ખાસ ધ્યાન રાખી ને ફરી થી શાળા શરૂ કરવામાં આવી હતી.
No comments:
Post a Comment