Monday, 8 February 2021

વાંકાનેર શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર , વાંકાનેર માં ગઈકાલે રાત્રે સંગીતમય સુંદરકાંડ ના પાઠ અને સંતવાણી નો કાર્યક્રમ યોજાયો

 જયશ્રી ભોલેબાબા ગ્રુપ રાજકોટ વાળા શ્રી અલ્કેશભાઈએ વાંકાનેર  :

વાંકાનેર  :  વાંકાનેર માં જડેશ્વર રોડ આવેલ વર્ષો પુરાણી ઐતિહાસિક જગ્યા શ્રી મુનિબાવા ની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે બિરાજમાન શ્રી રામ દરબાર , સંત શિરોમણી શ્રી જલારામબાપા , સદગુરૂદેવ શ્રી રામકિશોરદાસજીબાપુ ની આ પાવન ભૂમિમાં ગઈકાલે તારીખ  : 8 / 2 / 2021 ના સોમવાર ના રોજ રાત્રીના  9 :00 થી  2 : 00 વાગ્યાં સુધી ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં કાર્યક્રમ નો શુભ પ્રારંભ મંગલમય દીપપ્રાગટીય વિધિ શ્રી ગાયત્રી મંદિર, વાંકાનેર ના મહંત શ્રી અશ્વિનભાઇ રાવલ , તેમજ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ના સંચાલક શ્રી વિશાલભાઈ કાનજીભાઈ પટેલ , પૂજારી શ્રી વિકાસભાઈ , તેમજ હિતેષભાઇ રાચ્છે કરેલ હતી , ત્યારબાદ સંગીતમય સુંદરકાંડ ના પાઠ , ધૂન , સંકીર્તન , તેમજ સંતવાણી નો કાર્યક્રમ યોજાયેલ જેમાં શિવ ભજનો , ગંગાસતી ના ભજન , સંતશ્રી જલારામબાપા , સંતશ્રી ભોલેબાબા ના ભજનો પણ રજૂ કરેલ હતા ,, 

કાર્યક્રમ ના પ્રારંભ પહેલા શ્રી ગાયત્રી મંદિર, વાંકાનેર મહંત શ્રી અસ્વીનભાઈ રાવલ , હિતેષભાઇ રાચ્છે પ્રાસગીક પ્રવચન આપેલ અને આ જગ્યા નો જેમણે વિકાસ કરેલ છૅ એવા શ્રી પટેલબાપુ ની ચેતના ને પ્રણામ કરી આ પાઠ તેમને સમર્પિત કરેલ હતા અને શ્રી પટેલબાપુ ને શ્રધાંજલિ આપેલ હતી ,, ત્યારબાદ જયશ્રી ભોલેબાબા ગ્રુપ , રાજકોટ ના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી અલ્કેશભાઈ સોની  (જોડીયાવાળા  ) એ અનેરા સંગીત ની શૅલી સાથે સુંદરકાંડ ના પાઠ , શ્રી હનુમાન ચાલીસા , સંતવાણી ની રંગત જમાવી હતી  શ્રી અલ્કેશભાઈ એ સ્વ પ્રભુભાઈ રાચ્છ ની ત્રીજી પુણ્યતિથિ હોય તેમને શ્રંધાજલી આપેલ હતી , શ્રી પ્રભુભાઈ સંતો ની સેવાને યાદ કરેલ તેમજ શ્રી પટેલબાપુ ની માનવ સેવા , સંતો ની સેવા યાદ કરેલ ,, આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે વાંકાનેર શ્યામ ધૂન મંડળવારા શ્રી જગદીશભાઈ રાજવીર , જગદીશભાઈ કોટેચા , શ્રી લોહાણા મહાજન, વાંકાનેર ના પ્રમુખ શ્રી કાકુભાઈ શેઠ , સદગુરૂ આશ્રમ ના શ્રી મહેશભાઈ રાજવીર , વાંકાનેર ની જાણીતા જસદણ સિરામિક ના મેનેજર શ્રી કૌશલભાઈ , સંદેશ , દિવ્ય ભાસ્કર ના પ્રતિનિધિ શ્રી મુકેશભાઈ પડ્યાં , નવદીપભાઈ ભટી , ભજનિક શ્રી દેવુભાઇ  ( વાંકાનેર  ) શ્રી હર્ષદભાઈ પ્રજાપતિ તેમજ અનેક અગ્રણીયો હાજર રહયા હતા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ના સહુ ભક્તજનો એ લાભ લીધેલ હતો આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે શ્રી ફળેશ્વર મહાદેવ દાદા ને અનોખો શણગાર કરવામાં આવેલ હતો તેમજ સંત શિરોમણી શ્રી જલારામબાપા ના મંદિર ને પુષ્પો થી સજાવટ કરેલ , આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ના સહુ ભક્તજનો એ જહેમત ઉઠાવેલ હતી આભારવિધિ શ્રી વિશાલભાઈ કે પટેલે કરેલ હતી.

નવદીપ ભટ્ટી વાંકાનેર.79842 95743 

No comments:

Post a Comment