Monday, 22 February 2021

વાંકાનેરના સુરેશભાઈ પ્રજાપતિ તથા પરિવારે રામમંદિર માટે ₹ 1,05,555/- નિધિ સમર્પણ કરી

વાંકાનેરના સુરેશભાઈ પ્રજાપતિ તથા પરિવારે રામમંદિર માટે ₹ 1,05,555/- નિધિ સમર્પણ કરી

જેમના નામના સ્મરણમાત્રથી પાપીઓ આ દુષ્કર ભવસાગર તરી જાય છે, એવા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના દિવ્યાતિદિવ્ય મંદિરનું પુનઃનિર્માણ માઁ સરયુના કિનારે મોક્ષદાયિની અયોધ્યા નગરીમાં થઈ રહ્યું છે.

સદીઓની પ્રતીક્ષા બાદ સાકાર થઈ રહેલા પ્રત્યેક હિંદુ હ્રદયના સ્વપ્ન સમાન મંદિરનિર્માણ માટે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા જે *'નિધી સમર્પણ અભિયાન'* ચાલી રહ્યું છે એ અંતર્ગત વર્ષોથી સંઘનું કાર્ય કરતા તથા ભારતીય જનતા પાર્ટીનું સુકાન સંભાળતા *મૂળ વિનાયગઢ વાળા, હાલ વાંકાનેર રહેતા એવા શ્રી સુરેશભાઈ દેવકરણભાઈ પ્રજાપતિ (તથા મગનભાઈ તળશીભાઈ પ્રજાપતિ અને શંકરભાઇ છગનભાઇ પ્રજાપતિ પરિવાર)* તરફથી *₹ 1,05,555/-* રૂપિયાનું નિધી સમર્પણ આવેલ છે.

શ્રીરામભક્તિ અને ધાર્મિકતાના આ સંસ્કાર . *શ્રી સુરેશભાઈ તથા પ્રજાપતિ પરિવાર* ને વારસાગત છે.  

હિંદુત્વના રંગે પૂર્ણપણે રંગાયેલા એવા સુરેશભાઈએ *શ્રી રામશીલા* વાંકાનેર થી અયોધ્યા મોકલવાના અભિયાન માં પણ ઘણું કાર્ય કરેલ અને યોગદાન પણ આપેલ હતું.

No comments:

Post a Comment