Friday, 19 February 2021

વાંકાનેર ચુવાળીયા ઠાકોર ના પ્રમુખ જયંતીભાઈ મદ્રેસાણીયાએ સેવાવૃતી કરી જન્મદિવસ ઉજવ્યો.

 

વાંકાનેર તા. ૧૮/૨નાં રોજ વાંકાનેર ચુવાળીયા ઠાકોર સમાજના પ્રમુખ,માર્ગ દર્શક, સમાજ દરેક પ્રસંગ અને સમાજના સુખ દુઃખમાં હરહંમેશ અગ્રેસર એવા ઠોકર સમાજના લોક લાડીલા જયંતીભાઈ ભવાનભાઈ મદ્રેસાણીયા (JB) a તેમના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી. ઠાકોર સમાજના યુવાનો દ્વારા હરિહર ગૌશાળામાં ગૌ માતાને લીલો ઘાસ ચારો તેમજ ગરીબ બાળકોને નાસ્તો વિતરણ કરવામાં આવ્યો. 



આ સિવાય જયંતીભાઈ દર વર્ષે ઠાકોર સમાજ ની દીકરીઓ માટે ભવ્ય સમૂહ લગ્ન, સમાજના વિદ્યાર્થીઓ માટે સન્માન કાર્યક્રમ તેમજ સમાજના દાતાશ્રીઓને સન્માન કાર્યક્રમ નું આયોજન કરે છે. આમ રાજકોટ રોડ પર આવેલ વેલનાથ મંદિર માં વેલનાથ દાદા ની તિથિ, ગણેશ મહોત્સવ અને નવરાત્રી આમ ધાર્મિક કાર્યક્રમો ભવ્ય અને ધામધૂમ થી સુઆયોજિત રીતે ઉજવે છે. આમ વાંકાનેર ઠાકોર સમાજના અગ્રેસર એવા જયંતીભાઈ એ સામાજિક,ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે સારી એવી નામના મેળવી છે... 

અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર...7984295743

No comments:

Post a Comment