વાંકાનેર ખાતે આવતીકાલે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે તા.8/2/21 સોમવારે રાત્રે સંગીતમય " સુંદરકાંડ " ના પાઠ ધૂન ભજન નો ભવ્ય કાર્યક્રમ
જયશ્રી ભોલેબાબા ગ્રુપ ના શ્રી અલ્કેશભાઈ સોની રંગત જમાવશે
વાંકાનેર :વાંકાનેર શહેરની ધરતી ઉપર જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી જગ્યા પૂજ્ય શ્રી મુનીબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે બિરાજમાન શ્રી ફળેશ્વર મહાદેવદાદા , શ્રી રામ લક્ષમણ જાનકી તેમજ સંત શિરોમણી શ્રી જલારામબાપા, તેમજ આ જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય શ્રી રામ કિશોરદાસજીબાપુ ની તપોભૂમિમાં તેમજ શ્રી પટેલબાપુ ની ચેતનામાં શ્રી હનુમાનજી મહારાજ ની અસીમ કૃપાથી તારીખ : 8 / 2 / 2021 ને સોમવાર ના રોજ રાત્રે 8 :45 વાગ્યાથી ભવ્યતાથી ભવ્ય સંગીતમય સુંદરકાંડ ના પાઠ , ધૂન , સંકીર્તન , અને ભજન નો ભવ્ય કાર્યક્રમ રાખેલ છૅ જેમાં ગુજરાત ના સુપ્રસિદ્ધ કલાકાર જયશ્રી ભોલેબાબા ગૃપ ના રાજકોટના શ્રી અલ્કેશભાઈ સોની ( જોડીયાવાળા ) ગ્રુપ સાથે સુંદરકાંડ ની ચોપાઈ વિવિધ વિવિધ ઢાળો થી ગાન કરશે સાથે સામૂહિકમાં ભક્તજનો પણ સુંદરકાંડ ની ચોપાઈ નુ ગાન સામુહિક માં કરશે ત્યારબાદ ધૂન સંકીર્તન અને સંતવાણી , ભજનો અલ્કેશભાઈ સોની રજૂ કરી ભાવિકો ને ભાવ વિભોર કરશે આ કાર્યક્રમ નો શુભ પ્રારંભ દીપ પ્રાગટ્ય વિધિ શ્રી ગાયત્રી મંદિર ના મહંત શ્રી અશ્વિનભાઇ રાવલ , તેમજ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ના સંચાલક શ્રી વિશાલભાઈ પટેલ તથા અગ્રણીયો દ્વારા કરવામાં આવશે આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે સર્વે ભાવિક ભાઈઓ , બહેનો ને પધારવા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે.
સરકારશ્રી ના આદેશ અનુસાર સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ભાવિકો ને પધારવા નિમંત્રણ......
અહેવાલ::
નવદીપ ભટ્ટી વાંકાનેર. 7984295743
No comments:
Post a Comment