Friday, 4 December 2020

વાંકાનેર પાંજરાપોળમાં સૂકા ઘાસ ગોદામમાં ઇલેક્ટ્રીક શોટ સર્કીટ થી આગ લાગતાં સૂકા ઘાસ ચારા નો મોટો જથ્થો ભસ્મીભૂત.....







આજ રોજ વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા દીવાનપરા ખાતે સૂકા ઘાસચારા ગોદામમાં અચાનક ઇલેક્ટ્રીક શોટ સર્કીટ ના કારણે આગ લાગેલ..

અચાનક આગ લાગવાથી થોડા સમય માં મોટું  સ્વરૂપ ધારણ કરેલ ત્યારે સ્થાનિક કર્મચારીઓ અને સેવાભાવ નાગરિકો દ્વારા પ્રાથમિક તબક્કે આગ ઓલવવા કામગીરી શરૂ કરી દીધેલ અને ત્યાર બાદ નગરપાલિકા જાણ કરતા ની સાથે તાત્કાલિક ફાયર ફાઈટર  ઘટના સ્થળે આવી ને આગ પર કાબૂ મેળવી લીધેલ.

 આ આગજની ઘટનાથી સંસ્થાને અંદાજે રૂ.50,000/-નું ઘાસ બળી જતા  નુકશાન થયેલ છે. સદનસીબે  કોઈ પશુધન ને કંઈ નુકશાન થયેલ નથી...

તમામ તસવીર અને અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર...

 


No comments:

Post a Comment