Saturday, 13 December 2025

વાંકાનેર ખાતે આગામી ૨૫/૨૬/૨૭/૨૮ ડીસેમ્બર-૨૦૨૫ યોજાશે ભવ્ય "૧૭મો કામા અશ્વ પ્રદર્શન અને રમતોત્સવ"

વાંકાનેરમાં ૨૫ ડિસેમ્બરથી ભવ્ય અશ્વ-શો, પ્રદર્શન-રમતોત્સવનું આયોજન...

વાંકાનેર રાજવી અને રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાનાં અધ્યક્ષસ્થાને ભવ્ય અશ્વ શો નું આયોજન : તા.૨૭મી ભવ્ય લોકડાયરો યોજાશે

વાંકાનેર : (નવદીપ ભટ્ટી) વર્તમાન રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના પિતા તેમજ પૂર્વ કેન્દ્રીય પર્યાવરણમંત્રી સ્વ. ડો.દિગ્વિજયસિંહજી ઝાલાની યાદમાં આગામી ૨૫,૨૬,૨૭ અને ૨૮ ડિસેમ્બર દરમિયાન વાંકાનેર ખાતે ૧૭મો 'કામા' અશ્વ પ્રદર્શન તથા રમતોત્સવ-૨૦૨૫ યોજાશે. આ કાર્યક્રમની રૂપરેખા અનુસાર ૨૫ ડિસેમ્બર બપોરે ૩ વાગ્યે અશ્વ પ્રદર્શન તથા નગરયાત્રા યોજાશે જ્યારે ૨૬ અને ૨૭ડિસેમ્બરે દિવસ દરમિયાન વાંકાનેરના પેડક વિસ્તારમાં અશ્વ શો સ્પર્ધા યોજાશે. તેમજ ૨૭ ડિસેમ્બર રાત્રે ૯:૩૦ વાગ્યે લોકડાયરાનું આયોજન કરાયું છે જેમાં અનુભા ગઢવી, હકાભા ગઢવી, ધવલભાઈ બારોટ, આદિત્ય ખડીયા તથા વિજયાબેન વાઘેલા પોતાની કલા રજૂ કરશે. કાર્યક્રમના છેલ્લા દિવસે એટલે કે ૨૮ ડિસેમ્બરે રવિવારે સવારે ૮:૦૦ વાગ્યાથી શેષ અશ્વ શો સ્પર્ધા તથા સાંજે ૪ વાગ્યે ઇનામ વિતરણ બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે. વાંકાનેર પંથક વિસ્તાર ઘણા વર્ષો બાદ અશ્વોની હણહણાટી તેમજ દિલધડક રમતો જોવાનો અવસર પ્રાપ્ત થશે.તેમજ સમગ્ર કાર્યક્રમ વાંકાનેર સ્ટેટ તથા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન તેમજ તેમની અધ્યક્ષસ્થાને યોજાનાર છે.

Monday, 13 February 2023

વાંકાનેરમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન તેમજ સમુહ જ્ઞાતિ ભોજન સમારોહ યોજાયો.

 વાંકાનેરમાં ગુર્જર ક્ષત્રિય કડિયા  સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન તેમજ સમુહ જ્ઞાતિ ભોજન સમારોહ યોજાયો

વાંકાનેર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા વાંકાનેર સ્થિત શ્યામવાડી ખાતે કડિયા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની

વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો આયોજનો કરવામાં આવ્યું હતું. 






આ તકે વાંકાનેર નાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણી ની વિશેષ ઉપસ્થિતિ માં દીપ પ્રગટ્યા કરી આ સમારોહ માં અધ્યક્ષ સ્થાને સાથે કડિયા સમાજના પ્રમુખ, ઉપ પ્રમુખ તથા ટ્રસ્ટી મંડળ સાથે ગુર્જર કડિયા સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહ માં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વાં,ગુ,ક્ષ,કડિયા સમાજના પ્રમુખ, ઉપ્ પ્રમુખ તથા જ્ઞાતિ માં આગેવાનો દ્વારા ધો.1 થી સ્નાતક સુધીના તેજસ્વી તારલાઓ વિદ્યાર્થીઓનું મોમેન્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

તદુપરાંત વર્ષોથી પ્રમુખ પદે નિસ્વાર્થ સેવા આપતા શ્રી પ્રભુભાઈ ગીરધરભાઇ ચૌહાણ વય મર્યાદા નાં લીધે સ્વેચ્છીક નિવૃત્તિ લઈ સમાજના ઉત્કર્ષ વિકાસ માટે યુવા પેઢીને સમાજનું સુકાન સોંપવામાં આવ્યું હતું. આ તકે નવા પ્રમુખ ઉપ પ્રમુખની તથા ટ્રસ્ટી મંડળ ની જાહેરાત કરવામાં આવી હતી. નવા પ્રમખ તારીખે જગદીશભાઈ પરમાર,ઉપપ્રમુખ તારીખે પરેશભાઈ ખોલિયા,મંત્રી તારીખે મિતેષ સોલંકી,સભ્યપદે મહેન્દ્રભાઈ ભટ્ટી અને મહિલા સભ્યપદે રસીલાબેન કાચા સાથે વિવિધ લોકો ની વરણી કરવામાં આવી હતી સાથે નવનિયુક્ત કમિટી સભ્યોનું  સમાજના અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં વર્ષો થી પ્રમુખપદે સેવા આપતા પ્રભુભાઈ ચૌહાણે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇનું શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું....

અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર 7984295743


Friday, 10 February 2023

વાંકાનેરનાં રાતિદેવળી ગામે રવિવારે કાન-નાક અને ગળાના દર્દોનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે

વાંકાનેરનાં રાતિદેવળી ગામે રવિવારે કાન-નાક અને ગળાના દર્દોનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે
દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બંધુસમાજ દવાશાળા વાંકાનેર દ્વારા રાતિદેવલી ગામ ખાતે આગામી તા. ૧૨ ને રવિવારે સવારે ૦૯ : ૩૦ થી ૨ કલાક સુધી કાન-નાક અને ગળાના દર્દોનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે
આ કેમ્પમાં ઈ.એન.ટી. સર્જન ડો. સુરભી અંબાણી સેવા આપશે જે કેમ્પમાં કાન-નાક અને ગળાના રોગોની સચોટ સારવાર-નિદાન અને ઓપરેશન અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે ઉપરાતં તદન રાહત દરે ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 વાંકાનેરના રાતીદેવલી પ્રાથમિક કન્યા શાળા ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે જે કેમ્પનો વાંકિયા, પંચાસીયા, રાણેકપર, પંચાસર અને વઘાસીયા ગામના દર્દીઓ પણ લાભ લઇ શકશે.
તારીખ :- 12/02/2023, વાર :- રવીવાર
સમય :- સવારે 09:30 થી 02:00 સુધી
સ્થળ :- રાતિદેવળી કન્યા પ્રાથમિક શાળા


Monday, 1 August 2022

વાંકનેર માં નવરંગ નેચર કલબ દ્વારા શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે રાહત દરે તમામ પ્રકાર ના રોપા વિતરણ કાર્યક્રમ ગાયત્રી મંદિર ખાતે યોજાયો..

વાંકાનેર તા.1/8/22...નવરંગ નેચર ક્લબ દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે વાંકાનેરના ગાયત્રી મંદિર ખાતે કેસર કલમી આંબા, નાળિયેર તથા આયુર્વેદિક રોપાઓનું રાહત દરે વિતરણ તેમજ 400 જેટલાં રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કપડાંની થેલીઓ, અગરબત્તી, મધ, હાથ બનાવટી વસ્તુઓ,ફુલ છોડ માટેનાં કુંડા, ચકલીના માળા, સ્વદેશી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ બધીજ વસ્તુઓ મેળવવા ભારે ભીડ રહી હતી.


 આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી કાનાણી સાહેબ, પટેલભાઈ, અશ્વિનભાઈ રાવલ, વી. ડી. બાલાસાહેબ, પ્રજ્ઞેશભાઈ પટેલ વગેરેની વિશેષ ઉપસ્થિતમાં 450 જેટલા ફુલછોડ, 200 જેટલા કેંસર કલમી આંબા, આર્યુવેદિક રોપા 225 જેટલા અને અન્ય 600 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા ભૂપતભાઈ છૈયા, રામદેભાઈ આહિર, જીતુભાઈ, વિપુલભાઈ, રવિભાઈ, પીયુષભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ..નવદીપ ભટ્ટી...વાંકાનેર 7984295743


Sunday, 10 July 2022

વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે મહાકાળી માં ની ટેકરી ઉપર નવરંગ નેચર ક્લબ-રાજકોટ અને વાંકાનેર કુદરતી પર્યાવરણ પ્રેમીઓ દ્વારા બીજ નું વાવેતર કરાયું.

 વાંકાનેર તા.10/7

વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે મહાકાળી માં ની ટેકરી ઉપર નવરંગ નેચર ક્લબ-રાજકોટ અને વાંકાનેર કુદરતી પર્યાવરણ પ્રેમીઓ દ્વારા બીજ નું વાવેતર કરાયું.

 નવરંગ નેચર ક્લબ રાજકોટ અને વાંકાનેરના ગાયત્રી શક્તિ પીઠના સાથ સહકાર થી મહાકાળી માં ની ટેકરી ઉપર  ગોરડ, ગોરસ આંબલી અને ખાખરા ના બીજ નું વાવેતર કરવામાં આવ્યું. બે ફૂટ ની ઊંડો ખાડો કરી બીજ રોપીને સાથે થોડું છાણિયું ખાતર નાખી ઉપર થોડા કાંટા મૂકવાનું કામ કર્યું. જેનું આયોજન નવરંગ નેચર ક્લબ - રાજકોટ દ્વારા કરવામાં આવેલ...


આ તકે ગાયત્રી પરિવાર ના અશ્વિનભાઈ રાવલ, નવરંગ નેચર ક્લબના વી.ડી.બાલાસાહેબ,ધ્રુવગીરી સાહેબ, રામદેભાઈ ભાટિયા,જીતુભાઈ પાંચોટિયા, રાહુલ જોબનપુત્રા,ભુપતભાઈ છૈયા,રવિભાઈ લખતારિયા, જીતુભાઈ ગૌસ્વામી,નરેશભાઈ નકુમ,  તથા 20 થી વધુ પર્યાવરણ પ્રેમી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને દરેક સભ્યો દ્વારા બીજ નું વાવેતર કરવામાં આવ્યું....

અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર

Saturday, 9 July 2022

વાંકાનેરના રઘુનાથજી મંદિરે ૮૦ વર્ષ બાદ અને રાજપરિવાર ની ચોથી પેઢી નામદાર મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજી ના વરદહસ્તે નવનિર્મિત ધજા દંડ પર ધજા ફરકાવામાં આવી..

 વાંકાનેર તા.8/7/2022.

વાંકાનેર શહેર મધ્યે આવેલ પૌરાણિક  શ્રી લાલજી મહારાજનું ગુરુસ્થાન એવું શ્રી રઘુનાથજી મંદિર ખાતે નૂતન નવનિર્મિત ધ્વજા દંડ નું આરોહણ આજરોજ ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય મંત્રોચ્ચાર સાથે વાંકાનેરના રાજ પરિવારના મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજીના વરદ હસ્તે નૂતન ધજાજી ફરકાવી ધન્યતા અનુભવી હતી.

શ્રી રઘુનાથજી મંદિર અને વાંકાનેર રાજપરિવાર...

વાંકાનેર શહેરમાં આવેલું પૌરાણિક મંદિર શ્રી રઘુનાથજી મંદિરનું નિર્માણ સવંત ૧૯૯૭ મહા સુદ ૧૧ રવિવાર તા.૯/૨/૧૯૪૧ ના રોજ મહારાજ શ્રી પ્રભુદાસજી મહારાજ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ. આ મંદિર ની ભવ્ય વારસો અને સોનેરી ઇતિહાસ જોવીએ તો મહારાજશ્રી ને શ્રી રઘુનાથજી મહારાજનું ભવ્યશિખરબંધ મંદિર બનાવવાની ભાવના હતી. આ મહેચ્છા સમય મળતાં તત્કાલ સમયના વાંકાનેરના પ્રજાવત્સલ રાજવી નામદાર મહારાણા રાજસાહેબ શ્રી અમરસિંહજીબાપુની સમક્ષ રજૂ કરવામાં આવી ત્યારે આ વાત બાપુસાહેબને ગમી જતાં તેઓએ તાત્કાલિક કારીગરો બોલાવી જગ્યાનું માપ કરાવી અને તાત્કાલિક મંદિરનો નકશો તૈયાર કરવામાં આવ્યો અને મંદિરના બાંધકામનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર શ્રી ગીરધરલાલ ગોરધનભાઈ અપવામાં હતો. વાંકાનેરનો રણજીત વિલાસ રાજપેલેસ જે પત્થરો દ્વારા બનાવામાં આવ્યો તે જ પત્થર આ મંદિરમાં વાપરી ને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે સમયે અંદાજે રૂ.૫૦,૦૦૦/- ના ખર્ચે અને આશરે ત્રણ વર્ષના સમયગાળામાં આ બે શિખરબદ્ધ વાળું મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું.આ મંદિરનું સંપૂર્ણ બાંધકામ ખુદ મહારાણા રાજસાહેબ શ્રી અમરસિંહજીબાપુની અંગત દેખરેખ નીચે તૈયાર કરવામાં આવ્યું હતું. આ મંદિરની પ્રતિષ્ઠા તા.૯/૨/૧૯૪૧ ના રોજ મહારાજ શ્રી પ્રભુદાસજી મહારાજ ના વરદ હસ્તે કરવામાં આવી હતી અને બંને શિખરના ધ્વજ દંડ સ્થાપન અને ધજાજી નું પૂજન મહારાણા રાજ સાહેબ શ્રી અમરસિંહજી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું...

અંદાજે ૮૦ વર્ષ પહેલા જે ધ્વજ દંડનું સ્થાપન અને ધજાજીનું પૂજન મહારાણા રાજસાહેબ શ્રી અમરસિંહજી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તેનું રાજપરિવાર ની ચોથી પેઢીએ મહારાણા રાજસાહેબ શ્રીકેશરીદેવસિંહજીના

રકમલો દ્વારા અષાઢ સુદ નોમ તા.૮/૭/૨૦૨૨ શુક્રવારના રોજ શ્રી રઘુનાથજી મંદિર ખાતે હાલના મહંતશ્રી ૧૦૦૮ બિરામદાસજીમહારાજની પ્રેરણાથી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી જનરાયજીના શિખર પરના નવનિર્મિત ધ્વજા દંડ અને નૂતન ધજાજીનું પૂજન તથા અર્ચન વાંકાનેરના રાજ પરિવારના મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજીના વરદ હસ્તે નૂતન ધજાજી ફરકાવી હતી.





૮ દાયકા બાદ શ્રી રઘુનાથજી મંદિરના શિખરના જૂના ધ્વજા દંડ ની વિધિવત વિસર્જન કરી અને હોમાત્મક યજ્ઞ અને શાસ્ત્રોક્ત વિધિવત નવનિર્મિત ધ્વજા દંડ અને નૂતન ધજાજીનું પૂજન રાજપરિવારની ચોથી પેઢીએ મહારાણા કેશરીદેવસિંહજી દ્વારા ખુબજ ધાર્મિકતા વિધિ વિધાન સાથે સંપન્ન કરવામાં આવી હતી. 

  આ પ્રસંગે મહામંડલેશ્વર મહંતશ્રી દુર્ગાદાસબાપુ ભગતનુ ગામ સાયલા, મહામંડલેશ્વર મહંતશ્રી જાનકી દાસજી ભાણસાહેબ ની જગ્યા કમીજલા, કનકેશ્વરી માતાજી ખોખરા હનુમાનજી, મહંતશ્રી દામજી ભગત બગથળા, મહંતશ્રી નારાયણદાસ બાપુ ગેડીયા ઠાકર મંદિર, મહંતશ્રી વાલબાઈ આશ્રમ વવાણીયા,ભાવેશ્વરી માતાજી મોરબી,મગ્નીરામ આપા ઝાલા ની જગ્યા મેસરીયા, મહંતશ્રી હનુમાનગઢી વીરમગામ, મહંતશ્રી સરજુદાસજી ,કથાકાર ભરતદાસ , મહંતશ્રી લખમણભગત છતર હનુમાનજી મંદિર તેમજ નામી અનામી વિશાળ સંખ્યામાં શિષ્ય સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

અહેવાલ..નવદીપ ભટ્ટી વાંકાનેર...


Monday, 13 December 2021

શ્રી કાશી વિશ્વનાથ ધામ લોકાર્પણ કાર્યક્રમ ઐતિહસિક સમય નાં સાક્ષી બનતા વાંકાનેરના યુવા યશસ્વી નામદાર મહારાણા રાજસાહેબ કેશરીદેવસિહજી ઝાલા

 દિવ્ય કશી..ભવ્ય કશી...

ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાસ આમંત્રણ મોકલતા તે કાર્યક્રમ માં વિશેષ હાજરી આપતા વાંકાનેર સ્ટેટ નામદાર મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજી.

કાશી વિશ્વનાથ ધામ નો ભવ્ય ઇતિહાસ જોવીએ તો અંદાજે 1470માં નિર્માણ થયું હતું. 14 મી સદી થી 16 મી સદી દરમ્યાન મુઘલ શાસકો દ્વારા મંદિર પર અનેક આક્રમણો કરી તે જગ્યા એ મસ્જિદ નું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 

1777 થી 1780 માં રાણી અહિલ્યબાઈ એ કાશી વિશ્વનાથ મંદિર ની પુંનઃ નિર્માણ કરી જીણોદ્ધાર બંધાવ્યો હતો. અને 18 મી સદીમાં મહારાજા રણજીતસિંહે કાશી વિશ્વનાથ મંદિરનું સુવર્ણ થી ગુંબજ બનાવવામાં આવ્યું હતું.. 

     ત્યાર બાદ અનેક વર્ષો પછી ભારત નાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કશી વિશ્વનાથ ધામ નો થયો વિકાસ. વર્ષ 2019 માં મોદીજી હસ્તે ભવ્ય શિલાન્યાસ કરવામાં આવ્યો અને ત્યાર બાદ આશરે 900 કરોડ નાં ખર્ચે  દિવ્ય કશી ભવ્ય કશી નું નિર્માણ થયું... 

     આજ ના શુભ દિવસે તા.13/12/21 સોમવાર નાં રોજ ભારત નાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી નાં વરદ હસ્તે લોકાર્પણ થઈ રહ્યું ત્યારે હાલ ઉત્તરપ્રદેશ સ્થિત કાશી વિશ્વનાથ ધામ ખાતે દિવાળી જેવો માહોલ છે અંદાજે  8 લાખ ઘરે કશી વિશ્વનાથજી નો પ્રસાદ પોહચાડવા માં આવશે. અંદાજે 25 લાખ લાડુ બનાવવામાં આવશે અને 15 જગ્યા એ પ્રસાદ ની પ્રસાદ નિર્માણ કાર્ય ચાલુ છે...






આ શ્રી કાશી વિશ્વનાથ ધામ કોરિડોર ભવ્ય લોકાર્પણ માટે સમગ્ર ગુજરાત માંથી માત્ર ને માત્ર ખાસ આમંત્રણ પત્રિકા સ્વયમ વડાપ્રધાન તરફ મોકલેલ છે તેમાં આમંત્રણ વાંકાનેરના નામદાર મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા- વાંકાનેર ને આ લોકાર્પણ માં ઉપસ્થિતિ માટે મળી છે ત્યારે સમગ્ર વાંકાનેર/ મોરબી માં ગૌરવ ની સાથે ધન્યતા ની લાગણી અનુભવીએ છીએ...

તમામ તસ્વીર વાંકાનેર નામદાર મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા લેવા માં આવી છે.

Sunday, 24 October 2021

આ દીપાવલી મહોત્સવ ઉજવો પાટીદાર ફટાકડા મોલ સાથે.....

 આ  દીપાવલી મહોત્સવ ઉજવો પાટીદાર ફટાકડા મોલ સાથે..... 

નવું સરનામું

જેઠીબાઈની ભોજન શાળા, પટેલ ટ્રાન્સપોર્ટ સામે, સિટી સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે પાટીદાર ફટાકડા મોલ નો આજ થી ભવ્ય શુભારંભ થયો છે 

વાંકાનેર માં છેલ્લા 5 વર્ષ ની ભવ્ય સફળતા અને વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો ના સાથ અને સહકાર થી 6 વર્ષમાં મંગલ પ્રવેશ...


દિવાળી મહાપર્વ ની શરૂઆત થાય ત્યારે   વાંકાનેર માં કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ દ્વારા પાટીદાર ફટાકડા મોલનું ભવ્ય આયોજન.


વાંકાનેર પાટીદાર ફટાકડા મોલની ખાસ વિશેષતા એ છે કે દરેક વર્ગ ને પોસાય તેવા વ્યાજબી ભાવે વેચાણ કરે છે,


સાથે પાટીદાર ફટાકડા મોલ ની ખાસ અને પ્રશંસનીય વાત એ છે કે આ વેચાણનાં નફા ની રકમ અલગ અલગ સેવાકીય કાર્ય માં વપરાય છે.



આ પાટીદાર ફટાકડા મોલમાં 501 થી વધુ વેરાયટી એક જ જગ્યાએ મળે છે...દરેક કંપનીના વિવિધ રેન્જમાં અને અવનવી દરેક વેરાયટી તદન રાહત ભાવે મળી રહે છે.

નહિ નફો અને નહિ નુકશાન નાં હેતુથી વેચાણ કરવામાં આવે છે. દરેક પ્રોડક્ટ ઉપર ભાવ લખેલા હોઈ છે જેથી કોઈ ગ્રાહકને છેતરવવાનો ડર ના રહે અને દરેક ને કમ્પ્યુટરરાઈઝ બિલ આપવામાં આવે છે.તદન પારદર્શક વહીવટ થી વેચાણ કરતું વાંકાનેર નું એકમાત્ર સ્થળ એટલે પાટીદાર ફટાકડા મોલ


પાટીદાર ફટાકડા મોલ તા.25/10 થી તા.3/11 સુધી અને સમય સવારના 9 થી રાત્રિ નાં 12 સુધી રેહશે તો વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતા ને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે  અને પાટીદાર મોલમાંથી ફટાકડા ખરીદી કરી સેવા કાર્ય માં સહભાગી બનો. વધુ વિગત માટે પાટીદાર ફટાકડા મોલ - વાંકાનેર

94272 52226/97278 73143

પાટીદાર ફટાકડા મોલ

બ્રાન્ચ 1 : વાંકાનેર

જેઠીબાઈની ભોજન શાળા, સિટી સ્ટેશન રોડ, વાંકાનેર

બ્રાન્ચ-2 : મોરબી

પ્રસંગ હોલ,જીઆઇડીસી, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડની બાજુમાં, મોરબી


Thursday, 14 October 2021

વાંકાનેર રાજ પરિવાર દ્વારા પરંપરાગત "નવરાત્રી અષ્ટમી" નિમિતે માં શક્તિ નું પૂજન સાથે યજ્ઞ યોજાયો.

ભક્તિ સાથે શક્તિ ની ઉપાસના કરતો મહોત્સવ એટલે નવરાત્રી... નવરાત્રી ના આઠ માં દિવસે એટલે આઠમના દિવસે "નવરાત્રીઅષ્ટમી" ના પાવનપવૅ નીમીત્તે મહાશક્તિ ની આરાધના ના ભાગરૂપે ચાલી આવતી પરંપરા મુજબ વાંકાનેર રાજપરીવાર તરફ થી મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિહજી તથા મહારાણી સાહેબા શ્રીમતી યોગીની કુમારી ના યજમાન પદે જુના દરબારગઢ મા આવેલા શક્તિ માતાજી ના મંદિરે વાંકાનેર ના સંતો મહંતો ની ઉપસ્થિતિ મા યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે રાજપુત સમાજના મહિલાઓ અને  આગેવાનો તેમજ વિવિધ સમાજ ના  આગેવાનો તેમજ શહેર  તાલુકા ભા.જ.પ.ના હોદેદારો બહોળી સંખ્યામાં હાજર રહી માતાજી ના આશીર્વાદ લીધેલ હતા.