ભક્તિ સાથે શક્તિ ની ઉપાસના કરતો મહોત્સવ એટલે નવરાત્રી... નવરાત્રી ના આઠ માં દિવસે એટલે આઠમના દિવસે "નવરાત્રીઅષ્ટમી" ના પાવનપવૅ નીમીત્તે મહાશક્તિ ની આરાધના ના ભાગરૂપે ચાલી આવતી પરંપરા મુજબ વાંકાનેર રાજપરીવાર તરફ થી મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિહજી તથા મહારાણી સાહેબા શ્રીમતી યોગીની કુમારી ના યજમાન પદે જુના દરબારગઢ મા આવેલા શક્તિ માતાજી ના મંદિરે વાંકાનેર ના સંતો મહંતો ની ઉપસ્થિતિ મા યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે રાજપુત સમાજના મહિલાઓ અને આગેવાનો તેમજ વિવિધ સમાજ ના આગેવાનો તેમજ શહેર તાલુકા ભા.જ.પ.ના હોદેદારો બહોળી સંખ્યામાં હાજર રહી માતાજી ના આશીર્વાદ લીધેલ હતા.
No comments:
Post a Comment