Monday, 13 December 2021

શ્રી કાશી વિશ્વનાથ ધામ લોકાર્પણ કાર્યક્રમ ઐતિહસિક સમય નાં સાક્ષી બનતા વાંકાનેરના યુવા યશસ્વી નામદાર મહારાણા રાજસાહેબ કેશરીદેવસિહજી ઝાલા

 દિવ્ય કશી..ભવ્ય કશી...

ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાસ આમંત્રણ મોકલતા તે કાર્યક્રમ માં વિશેષ હાજરી આપતા વાંકાનેર સ્ટેટ નામદાર મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજી.

કાશી વિશ્વનાથ ધામ નો ભવ્ય ઇતિહાસ જોવીએ તો અંદાજે 1470માં નિર્માણ થયું હતું. 14 મી સદી થી 16 મી સદી દરમ્યાન મુઘલ શાસકો દ્વારા મંદિર પર અનેક આક્રમણો કરી તે જગ્યા એ મસ્જિદ નું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 

1777 થી 1780 માં રાણી અહિલ્યબાઈ એ કાશી વિશ્વનાથ મંદિર ની પુંનઃ નિર્માણ કરી જીણોદ્ધાર બંધાવ્યો હતો. અને 18 મી સદીમાં મહારાજા રણજીતસિંહે કાશી વિશ્વનાથ મંદિરનું સુવર્ણ થી ગુંબજ બનાવવામાં આવ્યું હતું.. 

     ત્યાર બાદ અનેક વર્ષો પછી ભારત નાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કશી વિશ્વનાથ ધામ નો થયો વિકાસ. વર્ષ 2019 માં મોદીજી હસ્તે ભવ્ય શિલાન્યાસ કરવામાં આવ્યો અને ત્યાર બાદ આશરે 900 કરોડ નાં ખર્ચે  દિવ્ય કશી ભવ્ય કશી નું નિર્માણ થયું... 

     આજ ના શુભ દિવસે તા.13/12/21 સોમવાર નાં રોજ ભારત નાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી નાં વરદ હસ્તે લોકાર્પણ થઈ રહ્યું ત્યારે હાલ ઉત્તરપ્રદેશ સ્થિત કાશી વિશ્વનાથ ધામ ખાતે દિવાળી જેવો માહોલ છે અંદાજે  8 લાખ ઘરે કશી વિશ્વનાથજી નો પ્રસાદ પોહચાડવા માં આવશે. અંદાજે 25 લાખ લાડુ બનાવવામાં આવશે અને 15 જગ્યા એ પ્રસાદ ની પ્રસાદ નિર્માણ કાર્ય ચાલુ છે...






આ શ્રી કાશી વિશ્વનાથ ધામ કોરિડોર ભવ્ય લોકાર્પણ માટે સમગ્ર ગુજરાત માંથી માત્ર ને માત્ર ખાસ આમંત્રણ પત્રિકા સ્વયમ વડાપ્રધાન તરફ મોકલેલ છે તેમાં આમંત્રણ વાંકાનેરના નામદાર મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા- વાંકાનેર ને આ લોકાર્પણ માં ઉપસ્થિતિ માટે મળી છે ત્યારે સમગ્ર વાંકાનેર/ મોરબી માં ગૌરવ ની સાથે ધન્યતા ની લાગણી અનુભવીએ છીએ...

તમામ તસ્વીર વાંકાનેર નામદાર મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા લેવા માં આવી છે.

Sunday, 24 October 2021

આ દીપાવલી મહોત્સવ ઉજવો પાટીદાર ફટાકડા મોલ સાથે.....

 આ  દીપાવલી મહોત્સવ ઉજવો પાટીદાર ફટાકડા મોલ સાથે..... 

નવું સરનામું

જેઠીબાઈની ભોજન શાળા, પટેલ ટ્રાન્સપોર્ટ સામે, સિટી સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે પાટીદાર ફટાકડા મોલ નો આજ થી ભવ્ય શુભારંભ થયો છે 

વાંકાનેર માં છેલ્લા 5 વર્ષ ની ભવ્ય સફળતા અને વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો ના સાથ અને સહકાર થી 6 વર્ષમાં મંગલ પ્રવેશ...


દિવાળી મહાપર્વ ની શરૂઆત થાય ત્યારે   વાંકાનેર માં કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ દ્વારા પાટીદાર ફટાકડા મોલનું ભવ્ય આયોજન.


વાંકાનેર પાટીદાર ફટાકડા મોલની ખાસ વિશેષતા એ છે કે દરેક વર્ગ ને પોસાય તેવા વ્યાજબી ભાવે વેચાણ કરે છે,


સાથે પાટીદાર ફટાકડા મોલ ની ખાસ અને પ્રશંસનીય વાત એ છે કે આ વેચાણનાં નફા ની રકમ અલગ અલગ સેવાકીય કાર્ય માં વપરાય છે.



આ પાટીદાર ફટાકડા મોલમાં 501 થી વધુ વેરાયટી એક જ જગ્યાએ મળે છે...દરેક કંપનીના વિવિધ રેન્જમાં અને અવનવી દરેક વેરાયટી તદન રાહત ભાવે મળી રહે છે.

નહિ નફો અને નહિ નુકશાન નાં હેતુથી વેચાણ કરવામાં આવે છે. દરેક પ્રોડક્ટ ઉપર ભાવ લખેલા હોઈ છે જેથી કોઈ ગ્રાહકને છેતરવવાનો ડર ના રહે અને દરેક ને કમ્પ્યુટરરાઈઝ બિલ આપવામાં આવે છે.તદન પારદર્શક વહીવટ થી વેચાણ કરતું વાંકાનેર નું એકમાત્ર સ્થળ એટલે પાટીદાર ફટાકડા મોલ


પાટીદાર ફટાકડા મોલ તા.25/10 થી તા.3/11 સુધી અને સમય સવારના 9 થી રાત્રિ નાં 12 સુધી રેહશે તો વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતા ને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે  અને પાટીદાર મોલમાંથી ફટાકડા ખરીદી કરી સેવા કાર્ય માં સહભાગી બનો. વધુ વિગત માટે પાટીદાર ફટાકડા મોલ - વાંકાનેર

94272 52226/97278 73143

પાટીદાર ફટાકડા મોલ

બ્રાન્ચ 1 : વાંકાનેર

જેઠીબાઈની ભોજન શાળા, સિટી સ્ટેશન રોડ, વાંકાનેર

બ્રાન્ચ-2 : મોરબી

પ્રસંગ હોલ,જીઆઇડીસી, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડની બાજુમાં, મોરબી


Thursday, 14 October 2021

વાંકાનેર રાજ પરિવાર દ્વારા પરંપરાગત "નવરાત્રી અષ્ટમી" નિમિતે માં શક્તિ નું પૂજન સાથે યજ્ઞ યોજાયો.

ભક્તિ સાથે શક્તિ ની ઉપાસના કરતો મહોત્સવ એટલે નવરાત્રી... નવરાત્રી ના આઠ માં દિવસે એટલે આઠમના દિવસે "નવરાત્રીઅષ્ટમી" ના પાવનપવૅ નીમીત્તે મહાશક્તિ ની આરાધના ના ભાગરૂપે ચાલી આવતી પરંપરા મુજબ વાંકાનેર રાજપરીવાર તરફ થી મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિહજી તથા મહારાણી સાહેબા શ્રીમતી યોગીની કુમારી ના યજમાન પદે જુના દરબારગઢ મા આવેલા શક્તિ માતાજી ના મંદિરે વાંકાનેર ના સંતો મહંતો ની ઉપસ્થિતિ મા યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે રાજપુત સમાજના મહિલાઓ અને  આગેવાનો તેમજ વિવિધ સમાજ ના  આગેવાનો તેમજ શહેર  તાલુકા ભા.જ.પ.ના હોદેદારો બહોળી સંખ્યામાં હાજર રહી માતાજી ના આશીર્વાદ લીધેલ હતા.






Thursday, 7 October 2021

વાંકાનેરના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી પર્વ અને કોરોનાકાળ માં સદગત જીવાત્માના મોક્ષ અર્થે ધૂન,કીર્તન અને સત્સંગ સભા યોજાઈ...

 


વાંકાનેર ખાતે તા.૬-૧૦-૨૧નાં બુધવારના રોજ મેઈન બજાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર આયોજિત અમદાવાદ નિવાસી શ્રી નારાયણ દેવ તથા મૂળી નિવાસી શ્રી રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજની અસીમ કૃપા તથા પ.પૂ.ધ.ધૂ આચાર્ય મહારાજ શ્રી તથા પ.પૂ.લાલજી મહારાજશ્રી ની અનુકંપાથી તથા શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ દાસજી ની પ્રેરણાથી  અને સાથે "શ્રી નરનારાયણ દ્વિશતાબ્દી પર્વ વર્ષ" (૨૦૦ વર્ષ)ઉજવણી નાં ભાગ રૂપે અને સાથે કોરોના મહામારી માં સદગતિ પામેલ સર્વ જીવાત્માનાં આત્મકલ્યાણ અર્થે  ધૂન કીર્તન અને સત્સંગ સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યા હતું.





આ સત્સંગ અને સભા પ્રસંગે બહોળી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા અને સુર તાલ સાથે ધુન- કીર્તન ની રમઝટ બોલાવી હતી.
આ સાથે સ્વામીશ્રી ની દિવ્ય વાણી થી સત્સંગ સભા માં કોરોના મહામારી માં સદગત  સર્વ જીવાત્માને મોક્ષાર્થે આત્મા ને શ્રદ્ધાંજલી અર્પણ કરવા નાં આવી હતી..

Wednesday, 6 October 2021

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ અને દાતાનું વિશિષ્ટ સન્માન

 વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ અને દાતાનું વિશિષ્ટ સન્માન

મિલકત પર માલિકી નો ભાવ નહીં પરંતુ સેવા નો ભાવ તમામ મારી સંપત્તિ એ સમાજની સંપત્તિના ભાવથી કેલેરીસ કંપની દ્વારા આજરોજ વાંકાનેર શહેરના દર્દીઓની સેવા માટે એક એમ્બ્યુલન્સનું વાંકાનેર સરકારી હોસ્પિટલને અર્પણ કરીને સર્વ શ્રેષ્ઠ દાન નું ઉદાહરણ પૂરું પાડે છે 






દરિદ્ર નારાયણની સેવા એટલે પ્રભુસેવા જે સેવાને બિરદાવવા માટે વાંકાનેર ભાજપ પરિવારના બધા જ કાર્યકર્તાઓ ઉત્સાહથી સરકારી હોસ્પિટલે આવ્યા હતા અને કેલેરીસના પ્રતિનિધિ તરીકે મેનેજર શ્રી રણજીત રાય સાહેબ અને આસિસ્ટન્ટ મેનેજર શ્રી મોહિતભાઈ ફીચડીયા સાહેબ વાંકાનેર તાલુકા પ્રમુખ શ્રી રતિલાલભાઈ અણીયારીયા અને શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ મઢવી એ સાલ ઓઢાડીને  સન્માન કર્યું હતું અને વાંકાનેર તાલુકા અને શહેરના તમામ ભાજપના કાર્યકર્તા ઓ એ પુષ્પ વૃષ્ટિ કરીને એમ્બ્યુલસ તેમજ દાતાને વધાવ્યા હતા 

આ તકે વાંકાનેર ડેપ્યુટી કલેકટર શ્રી શિરસયા સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ ધમભા ઝાલા તાલુકા પ્રમુખ રતિલાલ ભાઈ અણીયારીયા શહેર પ્રમુખ પરેશભાઇ મઢવી સરકારી હોસ્પિટલના એચ.ઓ.ડી. શ્રી ડોક્ટર પરમાર સાહેબે ફ્લેગ આપીને આજની તારીખે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું 

આ સેવાની ભાવના ને વાંકાનેર સ્ટેટ શ્રી કેસરીદેવ સિંહ જી એ શુભેચ્છા સંદેશ પાઠવીને ભાજપના કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને આરોગ્ય સેવા સમિતિના સભ્યશ્રી ઋષિરાજ સિંહ ઝાલા ને પણ અભિનંદન પાઠવ્યા હતા 


આ પ્રસંગે વાંકાનેર તાલુકાના સભ્યો અને સંગઠનના સભ્યો વાંકાનેર શહેર ના સભ્યો અને સર્વે ભાજપના કાર્યકર્તાઓએ હાજરી આપીને આ સેવાને હૃદયથી બિરદાવી હતી.



Sunday, 29 August 2021

વાંકાનેર ના નામદાર મહારાણા રાજસાહેબ શ્રીકેશરીદેવસિંહજી ના વરદ હસ્તે પરંપરાગત મુજબ કૃષ્ણ મૂર્તિ ની પૂજન કરાયું...


વાંકાનેર ના પ્રસિદ્ધ ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા વાંકાનેર ના નામદાર મહારાણા રાજસાહેબ શ્રીકેશરીદેવસિંહજી ના વરદ હસ્તે પરંપરાગત મુજબ કૃષ્ણ મૂર્તિ ની પૂજન વિધિ થયેલ અને સરકારશ્રી ની કોરોના માર્ગદર્શન મુજબ ફળેશ્વર મંદિર પરિસરમાં જ કૃષ્ણ ભગવાન ની શોભાયાત્રા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે  ફરેલ.




આ શોભાયાત્રામાં વાંકાનેર ના સુપ્રસિદ્ધ ધાર્મિક જગ્યાના મહંતો અને સંતો ઉપસ્થિત રહી ભગવાન ની શોભાયાત્રા ના વધામણા કરેલ.
જેમાં રઘુનાથજી મંદિર ના રેવાદાસજી,ગાયત્રી મંદિર ના અશ્વિનભાઈ રાવલ,ફળેશ્વર મંદિર ના મહંતશ્રી, બ્રહ્મ સમાજ ના પ્રમુખ ભરતભાઈ ઓઝા, અમુભાઈ ઠાકરાણી, અમિતસિંહ રાણા, સુરેશભાઈ પ્રજાપતિ, 
અમરશીભાઈ મઢવી,વજુભા ઝાલા અને શહેરના નામાંકિત અને પ્રતિષ્ઠિત અને દરેક જ્ઞાતિના ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહેલ.

Saturday, 7 August 2021

વાંકાનેર શહેર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો...

 આજ રોજ તારીખ 07/08/2021 ને શનીવાર ના રોજ *5 વર્ષ આપણી સરકાર ના*  જે અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વાંકાનેર શહેર ખાતે ગરીબ લોકો ને ઘર નું ઘર મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો...

આ તકે કાર્યક્રમ મા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા આરોગ્ય સમિતિ ના ચેરમેન શ્રી હીરાભાઈ ટમારીયા, વાંકાનેર સ્ટેટ તથા ભાજપ અગ્રણી શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, વાંકાનેર શહેર મહામંત્રી કે.ડી.ઝાલા તથા દિપકભાઇ પટેલ, મોરબી જિલ્લા ઉપપ્રમુખ ગાડુંભાઈ ધરજિયા , જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ અમૃતલાલ ઠાકરાણી, વાંકાનેર નગરપાલિકા સદસ્ય જયશ્રીબેન સુરેલા તથા રીટાબા રાઠોડ, પોલિસ સલાહકાર સમિતિ ના સભ્ય અમરસિંહભાઈ મઢવી વગેરે મહાનુભાવ હાજર રહ્યા હતા...




કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવ ના હસ્તે દિપપ્રાગ્ટ્ય થી કરવામાં આવી..ત્યારબાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તમામ મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું..ત્યારબાદ બાદ સર્વે એ ઓનલાઇન કાર્યક્રમ નિહાળેલ..ત્યારબાદ મહાનુભાવો અને હાજર હોદ્દેદારો ના હસ્તે 192 લાભાર્થી ને આવાસ ના સોપણી પત્ર સોપવામાં આવ્યા તથા આવાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...

આ તકે વાંકાનેર શહેર સંગઠન હોદેદારો મા ઉપપ્રમુખ હિરેનભાઈ ખીરૈયા, અમીતભાઈ શાહ, જાડા સંજયભાઈ, રાતાડિયા અરજણભાઈ, બોસિયા શારદાબેન, મંત્રી પાટડિયા અમીતભાઈ, નરેન્દ્રભાઈ પાટડિયા,પરમાર નયનાબેન,વીંજવાડીયા શાંતાબેન, રમીલાબેન બારોટ, કોષાધ્યક્ષ રિદ્ધિશભાઇ લહેરૂ ,કાર્યાલય મંત્રી મૂળજીભાઈ ગેડિયા વગેરે હાજર રહ્યા હતા..


આ સિવાય ગજેન્દ્રસિંહ રાઠોડ(પૂર્વમહામંત્રી), મહેન્દ્રસિંહ ઝાલા(પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ) ભરતભાઇ ઠાકરાણી(પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ) ટપુભા જેઠવા મેહુલભાઈ ઠાકરાણી,મનુભાઈ સારેસા, હિમાંશુભાઈ ગેડિયા,મુકેશભાઈ સોલંકી રાજભા ઝાલા વગેરે કાર્યકર્તા હાજર રહ્યા હતા..