વાંકાનેરમાં શ્રી વાસુકી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
શહેરના શ્રી વાસુકી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક તારીખ - ૩૧.૦૩.૨૦૨૧ ના રોજ વાસુકી મંદિર ના પટાંગણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક ના સહયોગથી આયોજિત કેમ્પમાં કુલ ૪૪ લોકોએ બ્લડ ડોનેશન કરેલ હતું. કાર્યક્રમનું આયોજન શ્રી વાસુકી એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ ડૉ. ભરતભાઈ રાવલ,અમુભાઈ ઠાકરાણી,અશોકભાઈ વિંઝવાડિય,સુલતાન ભાઈ તથા ટ્રસ્ટના સભ્યો એ જહેમત ઉઠાવી હતી.
આ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમ્યાન સમૂહ લગ્ન , બ્લડ ડોનેશન કેમ્પ , શિયાળામાં જરૂરિયાતમંદોને ગરમ કપડાં તેમજ ગાયોને નિયમિત ઘાસચારો આપવાં સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરે છે.
No comments:
Post a Comment