વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહજી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડ ફરીથી શરૂ કરવા અને રેપિડ ટેસ્ટ કીટ યોગ્ય પ્રમાણમાં મળી રહે તેની ઉચ્ચસ્તરે લેખિત રજૂઆત કરવામાં આવી.
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના ની બીજી લહેર એ માજા મૂકી છે ત્યારે વાંકાનેર તાલુકામાં કોરોન સંક્રમિત કેસો દિન પ્રતિદિન વધવા લાગ્યા છે હાલ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે covid-19 ની રેપિડ ટેસ્ટ ની કીટ ની ભારે અછત સર્જાઈ રહી છે અને વાંકાનેરમાં કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે હાલ કોઈ સુવિધા નથી તો આ તકે યુવરાજે રૂબરૂ સિવિલ હોસ્પિટલ ખાતે જઈ મુલાકાત કરી અને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક કોરોના વોર્ડ ફરી થી શરૂ કરવાં, પૂરતા પ્રમાણમાં કોરોના રેપિડ ટેસ્ટ કિટ મળી રહે અને પૂરતો મેડિકલ સ્ટાફ મળી રહે અને કોરોના દર્દી ને પ્રાથમિક સારવાર જલ્દી મળી રહે તેવી જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને સી.ડી.એચ.ઓ જિલ્લા પંચાયત પ્રમુખને યુવરાજ કેસરીદેવસિંહજી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.