Saturday, 1 February 2020

શ્રી વાંકાનેર ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા 10 મો સમૂહ લગ્નોત્સ્વ

વાંકાનેર તા. 1/2/2020ના રોજ વાંકાનેર ખાતે  શ્રી વાંકાનેર ગોપાલક સમૂહ લગ્ન સમિતિ  દ્વારા 10 મો સમૂહ લગ્નોત્સ્વમાં  53 યુગલો એ પ્રભુતામાં પગલા પાડ્યા હતા   આ પ્રસંગે સમસ્ત  ભરવાડ સમાજના ધર્મગુરુ પ.પૂ.ઘ.ધૂ.શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરીબાપુ-થરા એ વિશેષ  હારજી આપી હતી આ તકે  નવદંપતીઓને સમાજના કુરિવાજો અને દુષણોથી  દૂર રહી  શિક્ષિત થવાના આશિર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે  વાંકાનેર યુવરાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા ,રાધવજીભાઈ ગડાર-મોરબી , હિરેનભાઈ પારેખ, મગનભાઈ વડાવિયા,વાંકાનેર ના યુવા ઉધોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ, ભરવાડ સમાજના આગેવાન ગેલાભાઇ ડાભી, કાવાભાઇ ગોલતર, ડાયાભાઇ સરૈયા તથા સિદ્ધરાજભાઈ  ડાંગર અને  સામાજિક-ધાર્મિક-રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગને સફળ  બંનાવવા હીરાભાઈ બાંભવા  એ સમગ્ર  દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તસ્વીર અહેવાલ / નવદીપ ભટ્ટી વાંકાનેર











No comments:

Post a Comment